TABELA LOAN 2023: પશુપાલન માટે તબેલો બનાવવા સરકાર આપે છે 4 લાખની લોન

 

-:: TABELA LOAN 2023 ::-

પશુપાલન માટે તબેલો બનાવવા સરકાર આપે છે… જી હા…


4 લાખની લોન,જાણો સંપૂર્ણ માહિતી

Tabela Loan 2023 :– તબેલા લોન યોજના ગુજરાત 2023 | Tabela Loan in Gujarat 2023 , ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળે છે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ તેમના પશુની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલો બાંધવાનો હોય છે. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023 ગુજરાતના લોકોને સ્વરોજગાર યોજના હેઠળ લોન આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

TABELA LOAN 2023: તબેલા લોન યોજના ગુજરાત 2023

:::::::::::::::::::::::::::::::::::

પશુપાલન આજકાલ ઘણા લોકો નો મુખ્ય વ્યવસાય બની ગયો છે. મિત્રો, પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજનાની માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000 લાખ સુધીની લોન આપવામાં આવે છે. જે લોકો પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ યોજના નો લાભ લેવા માંગે છે તો આ પોસ્ટ પુરી વાંચો.

લાકડી તમારા ઘડપણની જુઓ અને નક્કી કરો  ક્લિક કરો

———————————

Tabela Loan 2023
Tabela Loan 2023

તબેલા લોન યોજના ગુજરાત 2023

યોજનાનું નામ તબેલા બનાવવા લોન
શું આપ વાહન ચાલવો છો ??? તો આટલું જરૂર જુઓ ક્લિક કરી
યોજનાનો હેતુ ગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય
લાભાર્થી ગુજરાતના આદિજાતિના લોકો
યોજના હેઠળ લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરો મોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
સત્તાવાર વેબસાઇટ https://adijatinigam.gujarat.gov.in/
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન

તબેલા લોન યોજના પાત્રતા ધોરણો :-

  • આ યોજનાનો લાભ લેવા અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું જરુરી છે.
  • લાભાર્થી અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ગ્રામીણ વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. 1,20 , 000/- અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. 1,50,000/- છે.
  • લાભાર્થી વ્યક્તિ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
  • લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.( જે અંગે આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
  • લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
  • લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
  • અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.
  • ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.
  • વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
  • અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
  • અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
  • લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
  • અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી

તબેલા લોન માટે જરૂરી ડોકયુમેન્ટ જાણી લઈએ….

  • અરજદાર અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારનો જાતિનો દાખલો રજુ કરવાનો રહેશે.
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
  • જામીનદાર-૧ ના (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
  • જામીનદાર-૨ ના (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)

તબેલા લોન યોજના (TABELA LOAN YOJNA) ઓનલાઈન ફોર્મ

  • લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, બાંયધરી આપનારની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે.
  • જેમાં સ્કીમની પસંદગીમાં “ લોન સ્કીમ ફોર સ્ટેબલ ” પસંદ કરીને આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે .
  • તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો, અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ, અરજીને ફરીથી ચેક કરીને સેવ કરવાની રહેશે.
  • સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લેવી અને સાચવવી પડશે.
અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
લોગિન લીંક અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન લીંક અહીં ક્લિક કરો

Leave a Comment