Krushi Sahay 2023 : ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ જાહેર, 48 તાલુકા માટે સહાય પેકેજની જાહેરાત
Krushi Sahay 2023 : ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ જાહેર, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય ચાલુ વર્ષે થયેલ કમોસમી વરક્ષાદથી થયેલ પાક નુકક્ષાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર. 13 જિલ્લાના 48 તાલુકાઓમાં નુકસાન થયું છે.
ગુરુવારે અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ રાજકોટ, કચ્છ, સુરત, નવસારી, ડાંગી, તાપી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ છે. તો આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. આવતીકાલે અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યપણે પાણી માટે વલખા મારતો કચ્છ જિલ્લો આ વર્ષે પાણીથી તોબા પોકારી ઉઠ્યો છે. ચોમાસા દરમિયાન કચ્છના મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની ભોગવ્યા બાદ હવે ઉનાળામાં પણ માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી મૂકી છે. આ તરફ રાજ્ય સરકારે 48 તાલુકા
નુકસાની પેકેજ સહાયનો લાભ લેવા કેવી રીતે કરવી અરજી
આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.